તો ન થયા હોત અમિતાભ-જયા બચ્ચનના લગ્ન !!

P.R
.

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને ગુડ્ડી મતલબ જયા બચ્ચનના લગ્નને આજે 40 વર્ષ પુરા થઈ ચુક્યા છે. પણ ખુદ બીગ બી ને એવુ લાગે છે કે જાણે થોડાક જ દિવસ પહેલાની વાત છે. આ ખાસ દિવસ પર તેમને ટ્વિટર પર પોતાની લાગણીઓ પ્રશંસકો સાથે શેર કરી.

અમિતાભે કહ્યુ કે ઈશ્વરની તેમના પર મોટી કૃપા રહી છે કે તેમણે આટલો સારો પરિવાર મળ્યો. બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યુ, 'આજ ત્રણ જૂન 2013ના રોજ લગ્નના 40 વર્ષ પૂરા થઈ ગયા, પણ એવુ લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય. છેલ્લા 40 વર્ષ મે અને જયાએ એકસાથે વીતાવ્યા, આ પૂરી જીંદગી છે. 40 વર્ષ પહેલા ખૂબ જ સાદગીપૂર્વક અમારા લગ્ન થયા હતા. દક્ષિણી મુંબઈના માલાબાર હિલ્સમાં એક મિત્રના ઘરે સાદગી પૂર્વક અમારા લગ્ન થયા. કોઈપણ જાતના ધૂમ ધડાકા વગર અને કોઈ તામઝામ વગર બધુ જ થઈ ગયુ.

પણ શુ તમે જાણો છો કે અમિતાભ અને જયાના લગ્નની શરત શુ હતી ? બંનેયે એકબીજાને વચન આપ્યુ હતુ કે 'જંજીર' સફળ થશે તો જ તેઓ લગ્ન કરશે. જંજીર ફિલ્મએ સફળતા મેળવી અને બોલીવુડને મળી ગયુ એક શાનદાર કપલ.

બિગ બી એ ટ્વિટર પર લખ્યુ છે, આજે અમે એક પુત્ર-પુત્રી અને ત્રણ નાના બાળકોના દાદા-દાદી, નાના-નાની છીએ. ઈશ્વરની ખૂબ કૃપા છે. આજે અમને પુત્ર-વહુ, પુત્રી-જમાઈ અને આટલા સારા વેવાઈ મળ્યા છે.

વેબદુનિયા પર વાંચો