શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે

ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:38 IST)
Image copyright
LANKA.RU

શ્રીલંકાએ બુધવારે ભારત સહિત 48 દેશોના પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાની જાહેરાત કરી છે.

દેશના પ્રવાસનક્ષેત્રના પ્રસાર માટે શ્રીલંકાએ આ પગલું ભર્યું છે.

ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રવાહી હુમલા બાદ શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સંબંધિત નિર્ણય લેવાયો છે.

પ્રવાસનમંત્રી જૉન અમારતુંગાએ કહ્યું છે કે 48 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની વિઝા મફત કરી દેવાઈ છે.

આ યોજના ગુરુવારે એટલે કે આજથી લાગુ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર