તારીખ 8, 17, 26ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિ સાથે સંચાલિત હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર, પરોપકારી અને કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે જીવનમાં જે કંઈ પણ કરો છો તેનો મતલબ હોય છે. તમારા મનને સમજવુ મુશ્કેલ છે. તમને સફળતા અનેક સંઘર્ષ કર્યા પછી મળે છે. અનેકવાર તમારા તમારા કાર્યોનો શ્રેય બીજા લઈ જાય છે.
મૂલાંક 8 ના જાતકો જુએ તો તેમણે ખુદને તનાવોમાંથી કાઢવામાં ખૂબ સમય વ્યતીત કર્યો છે. જો તમે ફરીથી તનાવગ્રસ્ત થવા નહ ઈચ્છતા હો તો કામ અને કાર્યદક્ષતા વચ્ચે સમતુલન બનાવીને ચાલો. આ એ સમય છે જ્યારે તમે પોતે જૂની શૈલીમાં ઢળી શકો છો. અને ફરીથી કઠિન પરિશ્રમ કરવામાં કાબેલ બની શકો છો. પણ તમે તમારા કામને પૂરી રીતે કરવાના ટાળવુ પડ્શે. જો તમે યોગ્ય દિશામાં સતત કાર્ય કરો છો તો સફળતા મળવી સરળ છે. રચનાત્મક વલણ અપનાવો વધારેથી વધારે ખુદની સાથે સમય વિતાવો. કારણકે માત્ર તમે જ છો જે ખુદને વધારે પસંદ કરો છો. હમેશા પોતાને ખુશ રાખવાની કોશિશ કરો. તમારા દિલની વાત સાંભળો અને જે મનમાં આવે એ કામ કરો, પણ ખુશીઓથી સાથે કોઈ પ્રકારની સમજૂતી ના કરો. જો તમે પ્રગતિ કરવા ઈચ્છો છો તો હમેશા પોતાને પ્રત્યે વફાદાર રહો. ત્યારે જ તમે તમારી ખુશિઓ અને ખામીઓને ઓળખી શકો છો. આ સર્વ વિદિત છે કે આ ધરતી પર કોઈ પણ હમેશા માટે નથી આવ્યુ. આથી લોકોને પ્રેમ કરો હરો-ફરો , પરિવાર સાથે મસ્તી કરો અને જીવનનો આનંદ ઉઠાવો.