અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

મંગળવાર, 17 માર્ચ 2020 (16:02 IST)
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાને લગતાં 390 કેસ નોંધાયા છે. તે ઉપરાંત મચ્છર જન્ય રોગના 23 કેસ નોંધાયા છે. હાલમાં કોરોના વાયરસ બેકાબુ દેખાઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યૂના 10 કેસ નોંધાયા છે. અન્ય રોગો બેકાબૂની સ્થિતિમાં જઇ રહ્યો હોવાથી શહેરીજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ચાલુ માર્ચ માસમાં ૧૪ તારીખ સુધીમાં સાદા મલેરિયાના ૧૧, ઝેરી મલેરિયાના ૧, ડેન્ગ્યુના ૧૦ અને ચિકનગુનિયાનો ૧ કેસો નોંધાયો છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર