આ મંત્રના જાપથી ઘર-પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી નથી આવતી

બુધવાર, 26 એપ્રિલ 2017 (17:40 IST)
ઘનવાન બનવાની ઈચ્છા કોણા મનમાં નથી હોતી. પૈસો વ્યક્તિનો પાવર હોય છે. તેના અભાવમાં જીવન વિતાવવુ અશક્ય છે. પણ કેટલાક લોકોની ઈચ્છા હોય છે. સાઈ એટલુ આપો કે જેમા પરિવારનું પાલનપોષણ થઈ જાય.. ધર્મ પુરાણોમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો મેહનતી હોય છે તેમના પર સદા લક્ષ્મી મહેરબાન રહે છે.  ઘરમાં ધન સંપત્તિના દ્વારા ખુલા રહે એ ત્યારે જ શક્ય છે જ્યારે કંઈક ખાસ કરવામાં આવે. 
 
જેના ઘરમાં આદિત્ય મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે તેનો ઘર-પરિવારમાં એક હજાર વર્ષ સુધી ગરીબી નથી આવતી. તન-મન-ધનથી સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
મંત્ર : જન્માન્તર સહસ્ત્રેષુ, દારિદ્રયં નોપજાયતે 
 
સવારે ઉઠીને નિત્ય કામથી પરવારીને શુદ્ધ કપડા પહેરીને પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસી જાવ પછી આ મંત્રનો જાપ કરો. 
 
અન્ય ઉપાય કરવા ચાહો તો માતા પોતાના હાથથી ચોખાનો એક દાણો કે ચાંદીનુ ટુકડો પોતાની સંતાનને ભેટ સ્વરૂપ આપે. સંતાન તેને સાચવીને મુકી દે. ધન સંબંધિત કોઈ પણ સમસ્યા જીવનમાં ક્યારેય નહી આવે. 

વેબદુનિયા પર વાંચો