લક્ષ્મી રિસાઈ ગઈ છે તો અપનાવો લક્ષ્મીને પ્રસન્ન કરવાના 4 સૌથી સરળ ઉપાયો

સોમવાર, 17 જુલાઈ 2017 (07:44 IST)
જો કોઈના પરિવારમાં હંમેશા ઝગડો થાય છે ઘન ટકતુ નથી કે બીમારીઓ ઘર કરીને બેસી જાય છે તો તમારી ફેમિલીને જરૂર છે દેવી લક્ષ્મીના આશીર્વાદની.  જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મી તમારા પર કૃપા કરે તો અપનાવો અહી બતાવેલ 4 માંથી કોઈ એક ..
 
- સવારે જલ્દી ઉઠીને પીપળને કુમકુમ-ચોખા ચઢાવીને કહો - હુ તમને પ્રાર્થના કરુ છુ કે મારી સમસ્યાનુ સમાધાન કરો અને દૂધ મિશ્રિત જળ ચઢાવો અને પ્રણામ કરીને આવી જાવ. 
 
- હનુમાન મંદિરમાં જઈને તમારી સમસ્યા કહો. ત્યારબાદ મંદિરમાં ક્યાય પણ એક ભારે પત્થર મુકીને આવી જાવ. સમસ્યાનુ સમાધાન થતા એ પત્થરના વજન જેટલો પ્રસાદ એ મંદિરમાં ચઢાવો. 
 
- દર શનિવારે પીપળ પર કાળ તલ મિક્સ કરેલ જળ ચઢાવો અને તમારી સમસ્યા કહી દો. ધન સાથે સંકળાયેલ સમસ્યા કહી દો. ધન સાથે સંકળાયેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
 
- તમારી સમસ્યાઓને વિષ્ણુ-લક્ષ્મી પ્રતિમાને સંભળાવો અને કેસરનુ દાન કરો. સમસ્યાનુ સમધાન થતા યથાશક્તિ પ્રસાદ ચઢાવો. 

વેબદુનિયા પર વાંચો