પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો). કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો.