ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે. આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે.
જાણો કેવી રીતે ઉજવે છે શરદ પૂર્ણિમા
1. શરદ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરો. ખુદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને તેમને સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત અને સુસજ્જિત કરવા જોઈએ. ત્યારબાદ તમે ભગવાનને આસન આપો.
2. તમને જોઈએ કે તમે અંબ, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય, તામ્બૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી તમારા આરાધ્ય દેવનુ વિધિ પૂર્વક પૂજન કરો.