જેમના સુંદર નામને સહૃદયમાં વસાવી લેવા માત્રથી કામ પૂર્ણ થઈ જાય છે. જેમના જેવુ બીજુ કોઈ નામ નથી. જેમના સ્મરણ માત્રથી બધા સંકટો દૂર થઈ જાય છે. એવા શ્રીરામને કોટિ-કોટિ પ્રણામ, પ્રભુએ રાવણ રૂપી દુર્ગુણોનો નાશ કરવા માટે મનુષ્યનુ રૂપ ધારણ કર્યુ. પ્રભુ શ્રીરામની ભક્તિને કળયુગમાં ફક્ત નામના આધાર પર પૂર્ણ માનવામાં આવે છે.
कलयुग जोग न जग्य न ग्याना ।।
एक आधार राम गुण गाना ।।
અર્થાત કળયુગમાં ન તો ય ઓગ, ના તો યજ્ઞ અને ન તો જ્ઞાનનું મહત્વ છે. એક માત્ર રામના ગુણગન જ જીવોનો ઉદ્ધાર કરવા માટે પૂરતુ છે. સંતોનું કહેવુ છે કે પ્રભુ શ્રીરામની સેવામાં કપટ, દેખાવો, છળ નહી પણ આંતરિક ભક્તિનુ જ મહત્વ છે. અર્થાત દશેરા પર રાવણ નહી પણ આંતરિક ચળ-કપ, દ્વેષના રાવણને સળગાવવો જોઈએ. સત્ય રૂપી રામ પ્રગટી જશે. આ જ દશેરા પર રાવણ દહનનું મહત્વ છે.
દશેરાના દિવસે વિવિધ શુભ મુહુર્ત
3 ઓકટોબરે 2014 શુક્ર્વારે 9.45 પર દશમી તિથિ આવશે અને બીજા દિવસે સવારે 7.25 સુધી રહેશે આથી રાવણ દહન 3 ઓકટોબરે ઉજવશે.
11.48 થી 12.12 સુધી ( આ મૂહૂર્ત બધા શુભ કાર્ય કરવા માટે શુભ છે આ સમયે કરેલ કર્યોમાં કયારે વિઘ્ન નથી આવતા
હનુમાન ચાલીસા, આદિત્ય હ્રદય સ્ત્રોત, રામરક્ષા સ્ત્રોત, દુર્ગા ચાલીસા અને સુંદરકાંડમાંથી કોઈ એકનુ પઠન કરો.
વાહન પૂજાનું મુહુર્ત : સવારે 12,10 થી 1:20 સુધી
તમારા વાહનોને ધોઈને ચમકાવી દો. તેન ઉપર ફૂલમાળા ચઢાવો અને સમસ્ત દેવી-દેવતાઓનુ સ્મરણ કરી નવગ્રહોનું સ્મરણ કરીને પૂજા કરો.
એક નક્ષત્ર મુહુર્ત : 11.48 થી 12.12 સુધી ( આ મૂહૂર્ત બધા શુભ કાર્ય કરવા માટે શુભ છે ) આ મુહુર્ત બધા પ્રકારના કાર્ય શરૂઆત કરવ માટે છે. આ મુહુર્તમાં શરૂ કરવામાં આવેલ કાર્યોમાં કોઈ વિધ્ન નથી આવતુ. આ મુહુર્તમાં પૂજન કરી કોઈ પણ શુભ મનોકામના કરવામાં આવે તો તે જરૂર પૂરી થાય છે.
રાવણ દહનનું મુહુર્ત : સાંજે 4:45થી 06:06 સુધી. ચર મૂહૂર્તમાં રાવણ દહનના ખૂબ જ શુભ મુહુર્ત છે.
રાવણ દહન પહેલા માં અંબા ભવાની અને બજરંગ બલીની આરાધના કરવી જોઈએ. ભગવાન શ્રીરામની અર્ચના કરવી જોઈ. ત્યારબાદ શ્રીરામના જયકારા સાથે રાવણ દહનનું કાર્ય સંપન્ન કરવુ જોઈએ.