અમદાવાદમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના માટે બનાવ્યા ખાસ નિયમો

શુક્રવાર, 3 જુલાઈ 2020 (13:05 IST)
અમદાવાદમાં ગણેશ મહોત્સવ પહેલા એક મહિનાથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ વર્ષે 22મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવશે. ત્યારે કોરોના વાયરસને લઈને આ વર્ષે અમદાવાદ શહેરમાં ગણેશના મોટા પંડાલો નહીં યોજાય. ગુજરાત સરકારની હજી જાહેરાત થઇ નથી પરંતુ અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ એ જાહેર કર્યું છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાંચ પંડાલ બંધ રાખવામાં આવશે. આ સિવાય દરેક સોસાયટીમાં ગણેશની બેસાડવા હશે તો તેની માટે પણ ખાસ નિયમો જરૂરી છે.અમદાવાદ શહેરમાં સોસાયટીમાં ગણેશ બેસાડવા હશે તો સૌથી પહેલો નિયમ એ રહેશે કે એક જ સોસાયટીમાં એક જ વ્યક્તિ ગણેશજીની આરતી કરી શકશે. ગણેશ વિસર્જન સમયે ભીડભાડ કરીને સાબરમતી નદી તરફ જવાનું ટાળવું પડશે. પીઓપીની બદલે માટીની મૂર્તિથી સોસાયટીમાં જ ગણેશનું વિસર્જન કરવાનું રહેશે. ગણેશજીના આરાધકે 2 ફૂટની માટી મૂર્તિ બેસાડે તેવી અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે શેના 90થી વધારે કારીગરો આ વર્ષે માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને સૂચન કરવામાં આવ્યું છે.સોસાયટીમાં ઘરમાં અલગ-અલગ લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે ત્યારે આ વર્ષે સોસાયટીમાં માત્ર એક જ ગણેશની સ્થાપના થાય તેવું સૂચન ગણેશ એસોસિએશનના પ્રમુખે કર્યું છે.તેમના કહેવા પ્રમાણે આ વખતે ગણેશ મહોત્સવમાં પ્રસાદનું વિતરણ નહીં થાય. ગણેશજીની આરતી વખતે માત્ર એક જ વ્યક્તિ આરતી ની થાળી લઈને આરતી ઉતારી શકશે.  એટલું જ નહિ પ્રસાદ આ વખતે લોકોને માસ્ક અને આયુર્વેદિક કાવા આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર