LIVE Coronavirus Gujarat Update: ગુજરાતમાં 34 હજારના નિકટ પહોંચી સંક્રમિતોની સંખ્યા

શુક્રવાર, 3 જુલાઈ 2020 (12:43 IST)
ગુજરાતમાં ગુરુવારે કોરોના ચેપના 681 નવા કેસો નોંધાયા હતા અને 19 લોકોના મોત નોંધાયા હતા. રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 33,999 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 1888 લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદની વાત કરીએ તો અહીં કોરોના ચેપના સૌથી વધુ કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના ચેપના 211 નવા કેસ નોંધાયા હતા અને સાત લોકોના મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 7,510 છે, જેમાંથી 68 ગંભીર હાલતને કારણે વેન્ટિલેશન પર મૂકવામાં આવી છે.
 
અમદાવાદમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 21339 પર પહોંચી ગઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 1457 લોકો મૃત્યુ પામ્યા છે. 16254 દર્દીઓ સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી ઘરે ગયા સાથે જ ગાંધીનગરમાં 677 લોકો કોરોનામાં ચેપ લાગ્યાં છે અને 31 લોકોનાં મોત નીપજ્યાં છે. 
 
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202, સુરત કોર્પોરેશનમાં 191, વડોદરા કોર્પોરેશનમાં 46, સુરત 36, રાજકોટ 22, બનાસકાંઠા-12, સુરેન્દ્રનગર 12, ભાવનગર કોર્પોરેશન 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, ભરૂચ 10, પાટણ 10, જુનાગઢ કોર્પોરેશન, અમદાવાદ, મહેસાણામાં નવ- નવ કેસ, વલસાડ-8, અમરેલી-7, ગાંધીનગર-6, કચ્છ- 5, ખેડા-5, રાજકોટ કોર્પોરેશન, અરવલ્લી, પંચમહાલ, નવસારી, જુનાગઢમાં ચાર- ચાર કેસ, આણંદ, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને મોરબીમાં ત્રણ -ત્રણ કેસ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપીમાં એક-એક કેસ છે.
 
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, જુનાગઢ કોર્પોરેશન, સુરત, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1888 લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર