તમારા કાર્યમાં આવી રહી અડચણ તો શનિવારે કરો આ ઉપાય

શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (11:11 IST)
શનિવારનો દિવસ વિશેષરૂપે શનિદેવની કૃપા મેળવવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શનિવારના દિવસે કેટલાક અચૂક ઉપાય છે જેનાથી શનિ શાંત રહે છે. 
 
આ સાથે જ જો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો શનિદેવનો પ્રકોપ ઓછો રહે છે.  અહી જાણો શનિવારના નાના-નાના ઉપાય... 
 
- સૂર્યાસ્તના સમય સૂનસાન સ્થાન પર સ્થિત પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો 
- શનિદેવને પીળા રંગના ફૂલ ચઢાવો અને ૐ શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરો 
- જે હનુમાનજીના ભક્ત હોય છે તેમને શનિદેવ કષ્ટ નથી પહોંચાડતા. તેથી આ દિવસે રામ ભક્ત હનુમાનને પ્રસન્ન કરવા માટે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવો. 
 
- સવાર સવારે સ્નાનવગેરેથી પરવારીને એક વાડકી તેલ લઈને તમારો પડછાયો જુઓ અને પછી તે દાન કરી દો. 
 
આ નામોનો પણ કરો જાપ 
 
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।
 
અર્થાત - 1. કોણસ્થ, 2. પિંગલ, 3. બભુ, 4. કૃષ્ણ, 5. રૌદ્રાન્તક, 6. યમ, 7. સૌરિ, 8. શનૈશ્ચર, 9. મંદ व 10. પિપ્પલાદ.  
 
શનિના આ દસ નામ લેવાથી શનિની સાઢેસાતી સંબંધિત બધા કષ્ટ દૂર થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર