કન્યા-સ્‍વભાવની ખામી
કન્‍યા રાશીની વ્‍યક્તિ અત્‍યંત સ્‍વાર્થી હોય છે. બીજની સલાહ પર ધ્‍યાન આપતા નથી. આ કારણે તેઓ દુઃખી થાય છે. બીજાની મશ્કરી કરવી તેમને પસંદ છે. વાતને વધારીને કહેવાની આદત હોય છે. ઉતાવળા સ્‍વભાવના હોવાથી મુશ્કેલી આવે છે. ઉપાય- તેમનો સ્‍વામી બુધ છે. જે પૃથ્‍વી તત્‍વનો ગ્રહ છે. તેઓ લાગણીનો ત્‍યાગ કરીને દ્રઢ બને તો સફળતા તેમના કદમ ચૂમશે. રામ, દત્ત, કૃષ્‍ણ, ગણેશ ઓમ અથવા ઇષ્‍ટ દેવની ઉપાસના કરવી જોઇએ. ઘન માટે લક્ષ્‍મીની પૂજા કરવી જોઇએ. બુધવાર નું વ્રત ફળદાયક રહે છે. મગ, લીલા વસ્‍ત્ર, કપૂર, ફળ ફુલ, તથા લીલી વસ્‍તુનું બુધવારે દાન કરવું.ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ - આ મંત્રનાં ૯૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી થાય છે.

રાશી ફલાદેશ