વૃશ્ચિક-સ્‍વભાવની ખામી
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિ બુદ્ધ‍િના અભાવમાં સ્‍વયં સમસ્‍યા ઊભી કરે છે. તેઓ પોતાની ઉપેક્ષા સહન કરી શકતા નથી. તેમનામાં વિરોદ્ધી ગુણો જોવા મળે છે. ઉપાય- તકલીફના સમયે હનુમાન ચાલીસા, મહામૃત્‍યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્‍ઠ રહે છે. રામનામનો જાપ, રામાયણનો પાઠ, ગાયત્રી જાપ તથા દત્ત કે શિવની ભક્તિ કરવી. ગાયત્રીનો જાપ સર્વ શ્રેષ્‍ઠ છે. મોળો મંગળવાર કરવો (ઉપવાસ), મૂંગાને અથવા પોખરાજને પહેરવો, અથવા નાગજિવ્હાનું મુળ પાસે રાખવું, આમાંથો કોઇ એક પ્રયોગ દ્વારાથી દુઃખ દૂર થશે. ઘઉં, મસૂર, ગોળ, લાલ વસ્‍ત્ર, તાંબુ, અને લાલ વસ્‍તુનું મંગળવારે દાન કરવું શુભ છે. હનુમાનની ઉપાસના લાભદાયક છે. મંગળવારનું વ્રત હંમેશા સારૂ છે. ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ - આ મંત્રનાં ૧૦,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાય થાય છે.

રાશી ફલાદેશ