સિંહ-આર્થિક પક્ષ
સિંહ રાશીની વ્‍યક્તિને આર્થિક બાબતમાં ભાગ્યશાળી માનવામાં આવે છે. જરૂરત હોય ત્‍યારે તેમને રૂપીયા મળી રહે છે. તેઓ દેવું લેતા ડરે છે. અને દેવું થઇ જાય ત્‍યારે પાઇ-પાઇ ચુકવવાની ઇચ્‍છા રાખે છે. અને તેઓ અન્‍યને દેવું આપે તો તે રૂપીયા પાછા મળતા નથી. ઘન કમાવવું એ સિંહ રાશી માટે કોઇ મોટી બાબત નથી પરંતુ ઘનને બચાવવું મુશ્કેલ છે. તેઓ દુનિયાદારીની ચિંતા નથી કરતા, તેના પરફ લાપરવાહ રહે છે. તેમના ઘરમાં ચોરી થઇ શકે છે અથવા પ્રવાસમાં નુશકાન થાય છે. યાદ ન રહેવાથી વસ્‍તુઓ ખોવાઇ જાય છે. વાહન સુખ હોય છે. ઘરમાં કોઇ જાનવર કે પક્ષીને પાળે છે.

રાશી ફલાદેશ