PM Modi ના કાર્યક્રમમાં મોટો ફેરફાર કેવડિયા રેલ્વે સ્ટેશન ઉદ્ઘાટનની તારીખ બદલાઈ

બુધવાર, 13 જાન્યુઆરી 2021 (07:40 IST)
પીએમ નરેન્દ્ર મોદી આગામી 16મી તારીખે ગુજરાતના ડભોઈથી કેવડિયા રેલ્વે લાઈનનું અને કેવડિયા રેસ્ટેશનનું ઉદ્ઘાટન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવાના હતા.
 
આ કાર્યક્રમની તારીખ આગળ વધીને હવે 17મી જાન્યુઆરી થઈ છે. દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો તથા મોટેરાથી ગાંધીનગર મહાત્મામંદિર સુધીના બીજા તબક્કાના અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યથાવત્ રીતે ૧૮મી જાન્યુઆરીએ યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર