આ વખતની નવરાત્રીમાં ટેટુની નવી થીમ, કોલેજિયનોમાં ઉરીના શહીદોને શ્રદ્ધાંજલિથી બેનની વિદાય સુઘીના ટેટુની માંગ
નવરાત્રિને હવે ગણ્યાંગાંઠ્યા દિવસોની વાર છે ત્યારે શહેરની બજારોથી લઈને ગરબાના મેદાનો સુધી નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં નવરાત્રી દરમ્યાન છવાઇ જવા અનેક અખતરા થઈ રહ્યાં છે. આ અખતરામાં હવે જાણે રાજકારણને પણ આવરી લેવામાં આવ્યું છે. આ વર્ષે ઉરી એટેકના શહીદોને શ્રદ્ધાંજલિ, આનંદીબેન પટેલની વિદાય અને અમેરિકાની ચૂંટણી ઈન ડિમાન્ડ છે.