Live: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ, બહાર કાર્યકરોની નારેબાજી ચાલુ

ગુરુવાર, 21 માર્ચ 2024 (19:37 IST)
EDની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી છે. તેમના સત્તાવાર નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ઈડીના દસ અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે. EDના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે. આ સાથે ED પણ સર્ચ વોરંટ લઈને પહોંચી ગયું છે. તપાસ એજન્સી આખા ઘરની પણ તપાસ કરશે. ગુરુવારે જ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

 
બપોરે 2.30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ગુરુવારે, 21 માર્ચે, હાઈકોર્ટે તેમને ધરપકડથી બચાવવાની તેમની અરજી ફગાવી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેજરીવાલને 9 સમન્સ પાઠવ્યા હતા, પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા.
 
સૌરભ ભારદ્વાજ પણ સીએમ આવાસની બહાર પહોંચ્યા  
 
EDની ટીમ સીએમ આવાસ પર પહોંચ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ ત્યાં પહોંચ્યા હતા. જો કે, નિયમ મુજબ, દરોડા પરિસરની અંદર અને બહાર કોઈને જવાની મંજૂરી નથી. આ કારણે સૌરભ ભારદ્વાજ આવાસની બહાર ઉભા રહ્યા અને તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સૌરભને કહેવામાં આવ્યું છે કે તમને આવાસની અંદર જવા દેવામાં આવશે નહીં, તેથી તમે અહીંથી ચાલ્યા જાઓ.
 
AAPએ EDના સમન્સને ગેરકાયદે ગણાવ્યું છે
જ્યારે કેજરીવાલ 18 માર્ચે દિલ્હી જળ બોર્ડ કેસમાં હાજર થયા ન હતા, ત્યારે AAPએ કહ્યું હતું કે EDનું સમન્સ ગેરકાયદેસર છે. AAPએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રીને કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે, તો પછી શા માટે વારંવાર સમન્સ મોકલવામાં આવે છે. AAPનો આરોપ છે કે ભાજપ ED દ્વારા કેજરીવાલને નિશાન બનાવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર