Indira Most Powerful PM - ફિરોઝ સાથે લગ્ન છતા પંડિત નેહરુના સેક્રેટરી સાથે ઈંદિરા ગાંધીનું અફેયર હતુ !

ગુરુવાર, 19 નવેમ્બર 2020 (09:38 IST)
દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યોનો ખુલાસો એક નવા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. વરિષ્ઠ પત્રકાર કે લખેલા એક પુસ્તક મુજબ ફીરોજે 1955 માં જ્યારે જીવન વીમાના રાષ્ટ્રીયકરણ કર્યુ પ્રેસના સંસદીય કાર્યવાહીની રિપોર્ટિંગની આઝાદી અપાવી. જેથી પાછળથી આ કાયદાને ઈદિરાએ જ ઈમરજેંસી દરમિયાન કચડી નાખ્યુ.  સાગરિકાના પુસ્તક મુજબ દિલ્હીમાં ફિરોજને નેહરુની હાજરીથી ગૂંગળામણ થતી હતી અને ત્રણ મૂર્તિ ભવનમાં રહેવુ તેને માટે અસહનીય થઈ ગયુ હતુ.  ફિરોજની આશિક-મિજાજીના કિસ્સા દિલ્હીના ગલિયારામાં સાંભળવા મળવા લાગ્યા હતા. તે મોટે ભાગે તારકેશ્વરી સિન્હા, મહેમૂના સુલ્તાન અને સુભદ્રા જોશી જેવી સાંસદો સાથે પોતાની મૈત્રીનુ પ્રદર્શન કરતો હતો.   એ પણ એવુ બતાવવા માટે જેમ કે તે પોતાના સાસરિયાના લોકોને શરમમાં નાખી રહ્યો હોય.. 
 
જો કે તારકેશ્વરીએ સિન્હાઈ એવુ કહીને ખંડન કર્યુ કે જો એક પુરૂષ અને સ્ત્રી સાથે લંચ કરી લે તો અફેયરની અફવાહ ઉડવા માંડે છે.. મે એક વાર ઈંદિરાને પૂછ્યુ હતુ કે શુ તેઓ અફવાઓ પર વિશ્વાસ કરે છે.તો તેને ના પાડી દીધી હતી.  હુ પણ પરણેલી હતી અને મારો પણ એક પરિવાર અને સન્માન હતુ. 
 
ફીરોજના રોમાંટિક કિસ્સાની હકીકત ભલે જે પણ હોય તેમના વિશે વાતો ખૂબ થતી. મોટાભાગના લોકોને એવુ લાગતુ હતુ કે ફીરોજના અફેયર્સને કારણે બંને વચ્ચે છુટાછેડા થશે કે પછી ઈંદિરાની બેવફાઈને કારણે... એવી અફવા હતી કે નેહરુના સેક્રેટરી એમઓ મથાઈ સાથે હતુ. મથાઈ 1946થી લઈને 1959 સુધી નેહરુનો પડછાયો રહ્યા હતા. તેઓ અથાગ કામ કરવામાં વિશ્વાસ કરતા હતા. જેમના પર નેહરુને આખો બંધ કરીને વિશ્વાસ કર્યો. 
મથાઈ પોતાની આત્મકથામાં નેહરુના સમયનો ઉલ્લેખ કરતા કથિત રૂપે 'she' નામથી એક પૂરો અધ્યાય લખ્યો છે. જેમા તેમણે જોશીલી ઈંદિરાનો ઉલ્લેખ કર્યો જેની સાથે લગભગ 12 વર્ષ સુધી તેમનો અફેયર રહ્યો. અનેક દક્ષિણપંથી વેબસાઈટસ પર રહેલા એ કથિત અધ્યાયમાં અનેક લાઈનો એવી છે જેમા કહેવામાં આવ્યુ છે 'તેમની(ઈન્દિરા) ક્લિયોપેટ્રો જેવી નાક હતી.  પૉલિન બોનાપાર્ટ જેવી આખો અને વીનસ જેવા સ્તન હતા.'  
 
આ અધ્યાયમાં લખવામાં આવ્યુ છે કે ઈન્દિરા 'બેડ પર ખૂબ સારી હતી' અને romance  તે ફ્રેંચ મહિલાઓ અને કેરલ નાયર મહિલાઓનુ મિશ્રણ હતી.' પુસ્તકમાં આ પણ દાવો કરવામાં આવ્યો છે કે તે લેખક (મથાઈ)દ્વારા ગર્ભવતી હતી અને તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો.  અનેક અપુષ્ટ ઑનલાઈન વર્જનમાં ઈન્દિરાના હવાલાથી કહેવામાં આવ્યુ કે તે એક હિન્દુ સાથે લગ્ન કરવુ સહન નહોતી કરી શકતી નહોતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર