ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ 5 ઘરેલૂ ઉપાય

બુધવાર, 7 ઑક્ટોબર 2020 (18:12 IST)
એવા ઘણા અવસર હોય છે, જ્યારે તમેન બહારનો ભોજન કરવું પડે છે. ઘણી વાર શોકથી તો ઘણી વાર ઘર પર ભોજન બનાવવાનું મન ના હોય ત્યારે, તેમજ ક્યારે ઑફિસ પછી ભોજન બનાવવાનો સમય નહી હોય. એવા પણ લોકો છે જેને મજબૂરીમાં બહાર ખાવું પડે છે, ક્યારે પરિવારથી દૂર હોવાના કારણે તો ક્યારે નોકરીના કારણે. જો બહારનો ભોજન સ્વચ્છતાથી નહી બનાવ્યું હોય, વાસી પિરસાઈ હોય, રાંધતા પહેલા શાક ઠીકથી ન ધોઈ હોય. ભોજન બનાવતા સમયે સારી ક્વાલિટીના સામાનનો ઉપયોગ નહી કરાય હોય, ત્યારે આવું ભોજન ખાતા પર તમને ફૂડ પૉઈજનિંગ થવાની આશંકા રહે છે. આવો જાણીએ ફૂડ પૉઈજનિંગ થતા પર કયાં ઘરેલૂ ઉપાયને અજમાવું જોઈએ. તેને અજમાવીને તમે તબીયતમાં રાહત પડશે. 
 
1. લીંબૂનો સેવન કરવું- લીંબૂમાં એંટી ઈંફ્લેમેટરી, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ગુણ હોય છે. તેથી તેને પીવાથી ફૂડ પાઈજનિંગ વાળા બેકટીરિયા મરી જાય છે. તમે ખાલી પેટ લીંબૂ પાણી બનાવીને પી શકો કે ઈચ્છો તો ગર્મ પાણીમાં લીંબૂ નિચાડીને પી જવું. 
 
2. સફરજનનો સિરકાનો સેવન કરવું- સરફજનના સિરકામાં મેટાબૉલિજ્મ રેટ વધારવાના તત્વ હોય છે. ખાલી પેટ તેનો સેવન કરવા પર આ ખરાબ બેક્ટીરિયાને મારવામાં મદદ કરે છે. 
 
3. તુલસીનો સેવન કરવું- તુલસીમાં રહેલ રોગોણુરોધી સૂક્ષ્મ જીવથી લડે છે. તુલસીનો સેવન તમે ઘણા રીતે કરી શકો છો. એક વાટકી દહીંમાં તુલસીના પાન, કાળી મતી અને મીઠું નાખી ખાઈ શકો છો. પાણી અને ચામાં પણ તુલસીના પાન નાખી પી શકો છો. 
 
4. દહીં ખાવું- દહીં એક પ્રકારનો એંટીબાયોટિક છે. તેમાં થોડું સંચણ નાખી ખાઈ શકો છો. 
 
5. લસણ ખાવું- લસણમાં એંટી ફંગલ ગુણ હોય છે. તમે સવારે ખાલી પેટ લસણની કાચી કળી પાણી સાથે ખાઈ શકો છો. તેનાથી પણ રાહત મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર