LPG Cylinder Price: પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને 400 રૂપિયા સસ્તો મળશે ગેસ સિલિન્ડર, બાકીના લોકોને 200 રૂપિયા સસ્તો પડશે

મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (17:12 IST)
LPG Cylinder Prices: મોંઘવારીથી પરેશાન લોકોને મોદી સરકારે  રક્ષાબંધન અને ઓણમના અવસર પર સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારે 33 કરોડ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત તમામ ઘરેલું એલપીજી ગેસ ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો લાભ મળશે.
 
કેબિનેટમાં લેવાયેલ નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓણમ અને રક્ષાબંધનના અવસર પર સરકારે તમામ LPG ગ્રાહકોને 200 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. . છે. તેમણે કહ્યું કે સરકારના આ નિર્ણયથી 2022-23માં તિજોરી પર 7680 કરોડ રૂપિયાનો બોજ પડશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે 75 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ મહિલાઓને એલપીજી કનેક્શન મેળવવા માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. સરકારના આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે, જે હવે 9.60 કરોડની નજીક છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર