ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય – સંકટમોચન કોરોનાની મહામારીથી બચાવશે

સોમવાર, 24 ઑગસ્ટ 2020 (09:42 IST)
ભગવાન ગણેશજી વિધ્નહર્તા અને મંગલકર્તા છે. ભક્તો બાપ્પાના ઘર આગમનથી ખુશ થઈને તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી રહ્યા છે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી વિધ્નહર્તા તમામ કષ્ટો દૂર કરી દે છે આ વખતે દરેક ભક્ત ગણેશજીને  એક જ કામના કરશે કે હે ગણેશ દુનિયા પર આવેલી કોરોનાની મહામારીને દૂર કરો ગણેશ પોતાના ભક્તોની તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરે છે. 
 
આ ઉપરાંત ગણપતિ ભગવાનની પૂજા અને ઉપાસના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. આ વખતની ગણેશ ચતુર્થીએ તમે બીમારીઓથી બચવા અને મનોકામના સિદ્ધ કરવા કરો આ ઉપાય ગણેશજીની વિશેષ કૃપા ઉતરશે.
 
આવો જાણીએ કેટલાક ખાસ ઉપાય
 
 
નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગણેશ યંત્રને ખુબજ ચમત્કારીક માનવામા આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી પર ગણેશ યંત્રની સ્થાપના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રજો ઘરમાં રહે તો તમામ ખરાબ શક્તિઓ દૂર થાય છે.
 
બીમારી રહેશે  દૂર
 
જો તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી આ ગણેશ ચતુર્થીએ હાથીને લીલુ ઘાસ ખવડાવો. ગણેશજીના દર્શન કરો તમારી દરેક તકલીફો થશે દૂર.
 
આર્થિક સમસ્યા માટે
 
ખુબજ મહેનત કરવા છતા જો તમને સફળતા મળતી ન હોય તો ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી પર શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ધરાવો. આ ભોગ ગાયને ધરાવો. આ ઉપાય કરવાથી જરૂરથી નાણાભીડ દૂર થશે. ગણેશ ચતુર્થી પર પીળા રંગની પ્રતિમા તમારા ઘરમાં સ્થાપિત કરો અને હળદરની પાંચ ગાંઠ રાખી 108 વાર દૂર્વા ચડાવી વિધ્નહર્તાની પૂજા કરો. આ ઉપાય 10 દિવસ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર