ઉનાદકટ ચૂપચાપ કરશે લગ્ન, ક્રિકેટર જયદેવ ઉનાદકટ મંગેતર રિની સાથે આણંદમાં 7 ફેરા લેશે, સંગીત સેરેમનીનો વીડિયો આવ્યો સામે

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (17:25 IST)
ભારતીય ક્રિકેટર જયદેવ ઉનાડકટ મંગળવારે મંગેતર રિની સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સમારોહ આજે રાત્રે ગુજરાતના આણંદ શહેરમાં મધુબન રિસોર્ટમાં થશે. જો કે, ઉનડકટ અને રીની બંનેએ લગ્નને લગતી આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી નથી. આ દંપતીએ લગ્નનું ફંક્શન ખાનગી રાખ્યું છે. લગ્નમાં ફક્ત નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
સોમવારે સંગીત સમારોહ યોજાયો
 
તેઓ લગ્ન માટે તેમના પરિવારજનો સહિત બે દિવસથી આણંદમાં છે. સોમવારે સંગીત સમારોહ યોજાયો હતો. મંગળવારે ઉનાદકટના મિત્રો દ્વારા તેના કેટલાક વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
 
સગાઈ 15 માર્ચે થઈ હતી
 
ઉનાડકટની મંગેતર રીની વ્યવસાયે વકીલ છે. બંનેએ 15 માર્ચ 2020 ના રોજ સગાઈ કરી હતી, પરંતુ લગ્નની તારીખનું રહસ્ય રાખ્યું હતું. સગાઈના બે દિવસ પહેલા ઉનાડકટે રણજીમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બનાવી હતી.
 
સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ મંગેતર રિની સાથે આજે રાત્રે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર